Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

વેલનાથબાપુના જય જયકારથી માર્ગો ગુંજયા

 આજે હનુમાન જયંતિની સાથે સંત વેલનાથ બાપુની પણ જન્મ જયંતિ હોય ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ અને સંત વેલનાથ જન્મ જયંતિ સમિતિ દ્વારા રાજકોટમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. મુખ્ય રથની સાથે સુશોભિત કરાયેલ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોમાં વિવિધ ફલોટ આ શોભાયાત્રામાં રજુ થયા હતા. રેસકોર્ષ રીંગ રોડ, કિસાન પરા ચોકથી શરૂ થઇ વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રા ફરી હતી અને વેલનાથ બાપુના જય જયકારથી માર્ગો ગજાવી દીધા હતા. શોભાયાત્રાની ઝલક તસ્વીરમાં જોવા મળે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)

(2:18 pm IST)