Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

રાજકોટ તાલુકાના ઠેબચડા ગામના પ્રૌઢની હત્યાના ચકચારી કેસમાં આરોપી મગન રાઠોડની જામીન અરજી રદ

રાજકોટ,તા. ૩૧:રાજકોટ રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં ગરાસીયા ખેડૂતી પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રોઢની ત્યાના ગુનામાં આરોપી મગન બીજલ રાઠોડના જામીન અરજી અદાલતે નકારી કાઢી ફગાવી દેતો હુકમ રાજકોટ સેશન્સ કોર્ટએ કર્યાં છે, વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા.૨૯-૧-૨૦૨૦ ના રોજ પોલીસની હાજરીમાં ખેડૂતની પોતાની જ વાડીમાં કોળી જૂથ દ્વારા તિક્ષ્ણ હથીયાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસીયા પૌઢનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જયારે અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફ હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી છગન બીજલ, મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, રોંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઈ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઈ રાઠોડ, કાન્તાબેન રમેશભાઈ રાઠોડ, કલ્પેશ ભીખ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથા,રોનક નાથા, પોપટ વશરામ, કેસુબેન વશરામ, ચના વસરામ, સામજી બચુભાઈ અને અક્ષીત છાયા સહિત કુલ ૨૧ શખ્સો સામે ગુનો નોંધાયેલ અને આરોપીઓની ધરપકડ કરેલ,

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રિમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીરા આરોપીઓને સમજાવેલ છતાં નહીં સમજેલ નહી. વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બન્યો હતો. આ ગુનામાં આરોપી મગન બીજલ રાઠોડ નામના શબ્દો રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં બંને પક્ષોની રજુઆત બાદ સ્પે. પીપી અનીલભાઈ દેસાઈ, અને મુળ ફરીયાદીના એડવોકેટ રૃપરાજસિંહ પરમાર દ્વારા લેખીત મૌખીક દલીલ કરતા આ કામના ચાર આરોપી ત્રણ વર્ષથી જેલમાં છે. જે પૈકી સંજય મગને ડિસેમ્બર ૨૦૨૨માં હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી હતી જે હકિકત છુપપાવી છે. તેમજ ડિસ્કરી પંચનામાં પ્રમાણે આરોપીઓ પાસેથી પિયાર કબ્જે લેવામાં આવ્યા છે. જામીન અરજીના વિરોધમાં જણાવવામાં આવેલ કે હાલના આરોપીએ ગુનાહીત કાવતરાના ભાગ રૃપે ખેતરમાં અગાઉથી છુપાવી રાખેલ કુહાડી વડે લગધીરસિંહને મરણતોલ ગંભીર ઈજા પહોચાડી જયારે અન્ય આરોપી છગન બીજલ તલવારથી અને મગન બીજલે ધારીયાથી લગઘીરિસંહ ઉપર હુમલો કર્યો હતો ત્યારે સંજય મગને પકડી રાખેલ હોય આમ ચારેય શખ્સોએ હત્યામાં સક્રિય ભાગ ભજવેલ હોય જેથી આરોપી મગન બીજલ રાઠોડની જામીન અરજી નામંજૂર કરવા દલીલ કરી હતી. તમામ દલીલથી રહમત અધિક સેશન્સ જજ બી.ડી.પટેલે, આરોપી મગન બીજલ રાઠોડની જામીન અરજી નામંજુર કરતો હુકમ કરેલ છે. આ કામમાં સરકાર પક્ષે સ્પે.પીપી અનીલભાઈ દેસાઈ અને મુળ ફરિયાદી હરેન્દ્રસિંહ જાડેજા વતી એડવોકેટ તરીકે રૃપરાજસિંહ પરમાર, મનીષભાઈ પાટડીયા, અજીત પરમાર, હુસેન હેરેજા, શકિત ગઢવી, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવીભાઈ લાલ અને જીત શાહ રોકાયા હતા.

(3:17 pm IST)