Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

કરૂણાંતિકાઃ રાજકોટના વધુ એક જુડો ખેલાડી અંકિત પાલ (ઉ.વ.૧૭)નો ભોગ લેવાયોઃ અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક ૫ ઉપર પહોચ્યોઃ સરદાર પટેલ વિદ્યામંદિરનો વધુ એક આશાસ્પદ વિદ્યાર્થી અનંતની વાટેઃ ચારેકોર દુઃખની લાગણી પ્રસરી

રાજકોટ તા. ૩૦: ગઇકાલે બગોદરા-વડોદરા વચ્ચે અરણેજ ગામ પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં આજે સવારે ધનવાન ગઢીયા નામના ૧૭ વર્ષીય વિદ્યાર્થીનું અમદાવાદ હોસ્પિટલમાં કરૂણ મૃત્યુ નિપજ્યા બાદ આ લખાય છે ત્યારે બપોરે અંકિત પાલ નામના વધુ એક આશાસ્પદ જુડો ખેલાડીનું જીવનદિપ બુઝાયાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. આ લખાય છે ત્યારે ભોગ બનનાર વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમોસ્ટમ સહિતની પ્રક્રિયા આટોપાઇ રહી છે. ૩૬ કલાક જેવા ટુંકાગાળામાં પાંચ-પાંચ નવલોહીયાઓનું અકસ્માતે ભોગ લેતા સમગ્ર રાજકોટમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(4:30 pm IST)