Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

સુસ્વાગતમ્: મુખ્યમંત્રીને આવકારતા મેયર સહિતના પદાધિકારીઓ

આ ઉજવણીમાં સેવાકલ્પ સાથે વિકાસકામોને વેગ મળી રહ્યો છેઃ પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, ડો. દર્શિતાબેન શાહ, વિનુભાઈ ધવા, સુરેન્દ્રસિંહ વાળા

રાજકોટ, તા. ૩૦ :. સુશાસન સપ્તાહનો સમારોહ સાથે શહેરના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહુર્ત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારનાર છે ત્યારે રાજકોટ શહેરીજનો વતી મેયર સહિતના પદાધિકારીઓએ આવકાર્યા છે.

મેયર ડો. પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ધવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળા જણાવેલ છે કે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં સેવાકલ્પ સાથે વિકાસના કામોને વેગ મળી રહ્યો છે.

ઉજવણીના ભાગ રૂપે આવતીકાલે તા. ૩૧ રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તેે રાજકોટ શહેરના જુદા જુદા વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત થનાર છે શહેરના વિકાસના કામોને વેગ આપવા પ્રથમ વખત મુખ્યમંત્રી રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેઓને શહેરના નગરજનો વતી હૃદયપૂર્વક આવકારીએ છીએ.

કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ શહેરનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે. શહેરના લોકો પણ મુખ્યમંત્રીના સ્વાગત માટે ઉત્સાહીત છે તેમ અંતમાં પદાધિકારીઓએ જણાવેલ.(

(3:57 pm IST)