Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

રાજકોટ બાર એસો.ના વકીલો આવતીકાલે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં જોડાશે

રાજકોટ, તા. ૩૦ :  આવતીકાલે રાજકોટ પધારતા મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમમાં રાજકોટ બાર એસોસીએશનના વકીલો મોટી સંખ્યામાં જોડાશે અને મુખ્યમંત્રીનું સન્માન કરશે.

આવતીકાલે રાજકોટના આંગણે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રથમવાર રાજકોટ પધારી રહ્યા છે. જેમના સ્વાગત કાર્યક્રમ માટે ભવ્યાતિભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવેલ છે. જે રોડ-શો ના આયોજનના ભાગરૂપે ગઇકાલ તા. ર૯-૧ર-ર૦ર૧ ના રોજ સાંજે ૭ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજકોટના લોકલાડીલા સાંસદ શ્રી રામભાઇ મોકરીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ બાર એસો.ના પ્રમુખ તથા અન્ય સિનીયર જુનીયર આશરે ર૦૦ જેટલા વકીલોની મીટીંગ મળેલ જે મીટીંગમાં રામભાઇ મોકરીયા એ વકીલોને માર્ગદર્શન આપેલ, તેમજ મોટી સંખ્યામાં વકીલો સ્વાગત કાર્યક્રમમાં જોડાય તેવી હાકલ કરેલ છે. આ મીટીંગમાં રામભાઇ મોકરીયાનું પ્રદેશના પ્રભારી પદે નિમણુંક થવા બદલ રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ  અર્જુનભાઇ પટેલના હસ્તે સન્માન કરવામાં આવેલ હતું. 

(3:06 pm IST)