Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

વોર્ડ નં.૦૪માં ઇન્દ્રપ્રસ્થ -૨ ઓમ શાંતિ પાર્કમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ગ્રો-ગ્રીન હેઠળ શહેર ની સામાજિક સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ ને વૃક્ષારોપણ  ને કામગીરી આપવામાં આવેલ છે. જેના અનુંસાધાન માં વોર્ડ નં.૦૪માં  ઇન્દ્રપ્રસ્થ -૨ ઓમ શાંતિ પાર્ક વૃક્ષારોપણ સદભાવના ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ. જેમાં, સમાજ કલ્યાણ કમિટી ના ચેરમેન  પરેશભાઈ પીપળીયા અને બાગ બગીચા ના વાઈસ કમિટી ના ચેરમેન કંકુબેન કાનાભાઈ ઉધરેજા ના વરદ હસ્તે વૃક્ષારોપણ શુભારંભ કરાયેલ. આ પ્રસંગે કાનાભાઈ ઉધરેજા તથા કિશાન મોરચાના પ્રમુખ ઠાકરશીભાઈ અકબરી, ભાજપ યુવા સદસ્ય ડૉ.રવિભાઈ ગોંડલીયા, કિશાન મોરચાના સદસ્ય હરેશભાઈ લુંણાગરીયા, ધીરુભાઈ પીપળીયા, વિઠલભાઈ ઢાકેચા, ગોરધનભાઈ અણદાણી , પ્રવિણભાઈ પાદરીયા, મયુરભાઈ ચાવડા, જીજ્ઞેશભાઈ પરસાણા, હિતેશભાઈ પીપળીયા, હમીરભાઈ ભરવાડ, ધીરુભાઈ બાબરીયા, જીતુભાઈ વોરા, એસ.આર.પટેલ, ભરતભાઈ કમાણી, વિકિન ધારડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

(3:02 pm IST)