Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી બિહારનો મોહંમદ તૌસીફ ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

સગીરાના પિતાની બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ, તા. ૩૦ :. શહેરના મોરબી રોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી બિહારનો શખ્સ ભગાડી જતા બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ત્રણ દિવસ પહેલા પોતાના કારખાને જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મોરબી રોડ પર શિવાજી પાર્ક સોસાયટી પાસે મફતીયાપરામાં રહેતો મૂળ બિહારના બંગરા બંસીધર ગામનો મોહંમદ તૌસીફ ઉર્ફે સીકંદર મોહંમદભાઈ અનવર સગીરાને ભગાડી ગયો હોવાનું જાણવા મળતા પરિવારજનોએ બી-ડિવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે સગીરાના પિતાની ફરીયાદ પરથી બિહારના મોહંમદ તૌસીફ ઉર્ફે સીકંદર મોહંમદભાઈ અનવર સામે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી પી.આઈ. એમ.બી. ઔસુરા તથા રાઈટર રશ્મીનભાઈએ તપાસ હાથ ધરી છે.(

(3:01 pm IST)