Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

વાવડીના અખબાર વિક્રેતા પર મધરાતે વિજય પ્લોટમાં હુમલો

જુના મનદુઃખમાં પરેશ ગઢવી, રાજદિપ સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા. ૩૦: વાવડી પુનિતનગર ટાંકા પાસે વિશ્વકર્મા સોસાયટી-૧૩માં રહેતાં અને સવારના અખબારના વિતરણનું કામ કરતાં તુષારભાઇ ગુણવંતભાઇ જોગીયા (ઉ.૪૨) પર મધરાતે અઢી વાગ્યા આસપાસ તે વિજય પ્લોટ-૧૨માં રહેતો ત્યારે પરેશ ગઢવી, રાજદિપ અને અજાણ્યાએ તલવારથી હુમલો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

તુષારભાઇને સવારે ત્રણ વાગ્યે અખબાર વિતરણ કરવાના હોઇ તે વિજય પ્લોટમાં રાતે અઢી વાગ્યે મામાના દિકરા પાસે આવ્યો હતો. આ વખતે જુના મનદુઃખને કારણે પરેશ ગઢવી સહિતના તૂટી પડ્યાનું જણાવાયું હતું.

(10:59 am IST)