Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

આવતા રવિવારે રાજપુત યુવાન પરિચય મિલનનું આયોજન

દિકરા-દિકરીબાના વાલીઓએ રજીસ્ટ્રેશન કરાવી લેવું: રીટાબા ઝાલા

રાજકોટઃ તા.૩૦ ક્ષત્રિય મહિલા અગ્રણી રીટાબા ઝાલા દ્વારા રાજપુત સમાજના અપરણિત NIR તેમજ રીમેરેજ રાજપુત યુવક યુવતીઓના પરિચય મિલનનું આયોજન  આગામી તા.૭ જાન્યુઆરીના રવિવારના રોજ ગુરુગોવિંદસિંહ હોલ રૈયા, રોડ, આમ્રપાલી સિનેમા પાસે, રાજકોટ ખાતે સવારના ૧૧ થી સાંજના ૬ વાગ્યા સુધી આયોજન કરેલ છે.

સમાજ માટે ખુબજ ઉપયોગી જરૂરી કાર્યક્રમ દિકરા દિકરીબાના વેવિશાળ માટે  સમય તથા પૈસાનો બચાવ થાય તેવા ઉમદા હેતુથી રીટાબા ઝાલા દ્વારા રાજપુત યુવા પરિચય મિલન ૨૦૧૮નું  આયોજન થયું છે.  ક્ષત્રિય રાજપુત સમાજના ઉંમર લાયક દિકરા દિકરીબા  માટે તેમજ ખાસ કરીને હાઇલી એજ્યુકેટેડ તથા એન આઇ આઇ દિકરા-દિકરીઓ વાલીઓ સાથે ઉપસ્થિત રહેવાના હોય જરૂરીયાતવાળા દિકરા દિકરીઓના વાલીઓએ સમયસર રજીસ્ટ્રેશન કરાવી લેવું.

આ ઉપરાંત છુટા છેડા પામેલા દિકરીબાઓને ધ્યાન માં લઇને વિશેષ રાયોજન કરવામાં આવેલ છે. ફોર્મ ભરીને આપવા માટે રીટાબા ઝાલા રાજપુત શુભ વિવાહ-૮૮ અંબીકાનગર શોપીંગ સેન્ટર, રૈયા રીંગ રોડ સર્કલ ખાતે સાંજે ૪ થી ૮ દરમ્યાન તેમના વાલીઓએ તથ વધુ વિગત માટે મો.૮૮૬૬૨૨૨૨૧૫ ઉપર સંપર્ક કરવો. (૪૦.૩)

(4:13 pm IST)