Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

મેલેરીયાના આરોગ્ય વર્કરોની ભરતી-ભથ્થાનાં પ્રશ્નો પ દિવસમાં ન ઉકેલાય તો ઉપવાસ આંદોલન

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનનાં મેલેરીયા વિભાગનાં આરોગ્ય વર્કરોનો સ્ટાફ અત્યંત ઓછો છે. તેની સેટ અપ મુજબ ખાલી પડેલી ૧પ૩ જગ્યામાં નવી ભરતી કરવા ઉપરાંત આરોગ્ય વર્કરો પાસે નિયમ વિરૂધ્ધ વધારાની કામગીરી કરાવવી ઇ.એસ.આઇ.પી.એફ.નો લાભ નથી મળતો વગેરે પ્રશ્નો અંગે અનેક રજુઆતો છતાં આ પ્રશ્નો ઉકેલાયા નથી ત્યારે હવે આગામી પ દિવસમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો આરોગ્ય વર્કરો પ્રતિક ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી આરોગ્ય વર્કરોએ ઉચ્ચારી છે. તસ્વીરમાં અકિલા કાર્યાલયની શુભેચ્છા  મુલાકાતે આવેલા આરોગ્ય વર્કરો પારસ બેડીયા, સુખદેવ ગઢવી વગેરે આરોગ્ય વર્કરોને થઇ રહેલા અન્યાય અંગે વિગત આપી લઇ રહેલા દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:54 pm IST)