Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

થાનના ખીમજીભાઇ રાશમીયાનું બેભાન હાલતમાં મોત નિપજ્યું

દલિત આધેડે રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩૦: થાનમાં મારૂતિનંદન સોસાયટીમાં રહેતાં ખીમજીભાઇ વાલજીભાઇ રાશમીયા (ઉ.૪૫) નામના દલિત આધેડ સાંજે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ પોલીસ ચોકીના રજીસ્ટરમાં ખીમજીભાઇએ સાંજે ચારેક વાગ્યે ઝાડમાં છાંટવાની દવા ભુલથી પી લીધાની નોંધ થઇ હતી. જો કે ખીમજીભાઇના પુત્ર જીજ્ઞેશભાઇએ જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હાર્ટએટેકથી મોત નિપજ્યાનું આવ્યું છે. પિતાએ કોઇ દવા પીધી નહોતી. મૃતક પાનનો ગલ્લો ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(10:19 am IST)