Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

નગરપીપળીયામાં ૧૬ વર્ષની આદિવાસી બાળાનો આપઘાત

મુળ દાહોદની ઉષાએ ઝેરી દવા પી લીધી

રાજકોટ તા.૩૦: મુળ દાહોદના અને હાલ લોધીકાના નગર પીપળીયામાં વાડીમાં રહી મજૂરી કરતાં ગવજીભાઇ પારઘી (આદિવાસી)ની દિકરી ઉષા (ઉ.૧૬) ગત સાંજે વાડીએ ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

આપઘાત કરનાર ઉષા ત્રણ ભાઇની એકની એક બહેન હતી. તે બીજા નંબરે હતી. તેના ભાઇ દિનેશના કહેવા મુજબ ઉષાએ એકાએક ઉલ્ટીઓ કરવા માંડતાં તેણે દવા પી લીધી છે...એવું બે વખત કહ્યું હતું અને પછી બેભાન થઇ ગઇ હતી. આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે કોઇને ખબર નથી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી લોધીકા પોલીસને મોકલતાં વધુ તપાસ હાથ ધરાઇ છે.

(10:19 am IST)