Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

રાજકોટમાં પૂ. પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિ મહોત્સવનો થનગનાટઃ અદ્દભુત નજારો :

રાજકોટઃ રાજકોટનાં આંગણે શ્રી પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવનો થનગનાટ સારાયે સૌરાષ્ટ્રમાં છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ૪૦૦થી વધારે સંતો અને ૪૦૦૦ સ્વયંસેવકો રાત દિવસ કાર્ય કરી રહયા છે. માધાપર ચોકડી-મોરબી રોડ ઉપર બેનમુન સ્વામિનારાયણનગરી નિર્માણ પામી ગઇ છે. અને ભવ્ય ફલોટો પણ ઉભા થઇ ગયા છે. આ શાનદાર-જાનદાર ઉજવણીમાં લાખો હરિભકતો આવશે, અને રાજકોટ સિટી ધર્મનગરી બની જશે તેના માટે ગામે ગામ  બેનરો લાગી ગયા છે. તેૈયારીઓ પૂર્ણતાના આરે છે. ત્યારે સર્વ પ્રથમ ડ્રોન કેમેરાના માધ્યમથી સ્વામિનારાયણ મહોત્સવ નગરીનો એરિયલવ્યુ ગગનગોખેથી લેવામાં આવેલ છે. તેની મનોહર મનમોહક તસ્વીર અત્રે પ્રસ્તુત છે.(ડ્રોન તસ્વીરઃ ભાટી એન.,વાંકાનેર)

(4:08 pm IST)