Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

પડધરીમાં મકાન ખાલી કરવા અને કેસ ખેંચી લેવા પ્રશ્ને ગંગાબેન સોલંકી પર હુમલો

રાજકોટ ગાયકવાડીમાં રહેતી નણંદ લલીતાબેન, નણદોયા અશોક તથા જનક, વિજય, કરીના અને સુનીતા સામે ગુનો

રાજકોટ, તા. ૩૦ :. પડધરીના ગીતાનગરમાં રહેતી દેવીપૂજક પરિણીતાને તેની નણંદ, નણદોયા સહિતના ૬ શખ્સોએ મકાન ખાલી કરવા અને કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લેવા બાબતે માર મારી ધમકી આપતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ પડધરીના ગીતાનગરમાં રહેતા અને શાકભાજી વેંચવાનુ કામ કરતા ગંગાબેન પપ્પુભાઈ સોલંકી (ઉ.વ. ૩૦) બે દિવસ પહેલા પોતાના ઘરે હતી ત્યારે રાજકોટ ગાયકવાડી શેરી નં. ૫ માં કીટીપરામાં રહેતી નણંદ લલીતા અશોક, નણદોયા અશોક બાબુભાઈ, તેનો પુત્ર જનક, વિજય તથા રીના અને સુનિતા તેની પાસે આવીને મકાન ખાલી કરવા અને કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લેવા બાબતે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ બનાવ અંગે ગંગાબેન સોલંકીએ પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. એફ.ડી. બ્લોચે તપાસ હાથ ધરી છે.

(4:06 pm IST)