Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

દલિત યુવાન પર વ્યાજખોરના ત્રાસ અંગે એસ.પી.ને રજૂઆત

રાજકોટ : જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે રહેતા દલિત યુવાન નીલેશ લલીતભાઇ ગોહેલ ઉપર વ્યાજખોરોના ત્રાસ અંગે આજે સવારે ૧૧-૩૦ કલાકે દલિત સમાજના આગેવાનો દ્વારા ડી.એસ.પી.ને આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી. આ આવેદન પત્ર વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા, પી.પી. શ્રીમાળી, નરેશ સાગઠીયા, નરેશ પરમાર, કાન્તાબેન ચાવડા, હીરાલાલ પરમાર, અરવિંદભાઇ મુછડીયા, ખીમજીભાઇ મકવાણા, રેખાબેન પરમાર, કેશુભાઇ રાઠોડ, મનોજ ગેડિયા, પ્રવિણ મુછડીયા, હરીશભાઇ ગોહેલ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:41 pm IST)