Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ન્યુ અંબીકા પાર્કના વાણંદ મહેશભાઇ લખતરીયાનો પાંજરાપોળ પાસે પોતાના કારખાનામાં આપઘાત

રાજકોટ તા. ૩૦ :.. રૈયા રોડ પર ન્યુ અંબિકા પાર્કમાં રહેતા વાણંદ કારખાનેદારે ભાવનગર રોડ પર પાંજરાપોળ પાસે પોતાના કારખાનામાં ઝેરીટીકડા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ન્યુ અંબિકા પાર્કમાં રહેતા મહેશભાઇ મનસુખભાઇ લખતરીયા (ઉ.૪પ) એ ગઇકાલે ભાવનગર રોડ પર પાંજરાપોળ પાસે આવેલ પોતાના ઇમીટેશનના કારખાનામાં ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતા તેને તાકીદે સારવાર માટે પ્રથમ સીવીલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ગોકુળ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું મોડી રાત્રે સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના એએસઆઇ ગોકુળભાઇ વાસાણી તથા રાઇટર જયદીપસિંહ ઝાલાએ તપાસ આદરી છે. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા તપાસ આદરી છે.

(3:47 pm IST)