Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઈન્દીરા સર્કલ પાસે આઝાદ ગોલાવાળા પાસે થયેલ કાઠી શખ્સની હત્યા અને હત્યાના પ્રયાસમાં આરોપી જામીન પર

આ ગુનામાં પોલીસમેનોની સંડોેવણી ખુલી હતીઃ મદદગારીના આરોપીના જામીન મંજુર

રાજકોટ તા ૩૦  : ઇન્દીરા સર્કલ પાસે આવેલ આઝાદ ગોલા પાસે કાઠી શખ્સની હત્યા અને ખુનની કોશીશમાં આરોપીનો જમીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટમાં સરદારનગરમાં રહેતા દેવેન્દ્રભાઇ ઉર્ફે બાવુભાઇ ધાંધલે તેના મીત્ર  કુલદીપ ચાંપરાજભાઇ ખવડાની હત્યા અને અભિલવ શીવરાજભાઇ ખાચરની મોત નીપજાવવાના ઇરાદે છરીઓ વડે હુમલો કરવાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૨ અને ૩૦૭ વિગેરે ગુન્હા અંગેની ફરીયાદ તા. ૧૧/૪/૨૦૧૯ ના રોજ નોંધાયેલ હતી.  જેમાં  આરોપી તરીકે પોલીસ કોન્સ્ટેબલ હીરેનસિંહ ખેરડીયા, પોલીસ કોન્સ્ટેબલ વિજય ડાંગર, અર્જુનસિંહ ચોૈહાણ તથા બીજા ચાર અજાણ્યા શખ્સો સામે નોંધાવેલ હતી.

આ બનાવમાં ફરીયાદી તેના મીત્ર અભિલવ ખાચર, ગુજરનાર  કુલદીપ ખવડ, ભગીરથ ધરમભાઇ વાળા, યશપાલ નિર્મળ ડાવેરા, નિકુંજ જાની વિગેરે તા. ૧૦/૪/૧૯ ના રાત્રીના ૧૧.૦૦ કલાકે ઇન્દીરા સર્કલ પાસે આવેલ આઝાદ ગોલાવાળાને ત્યાં  ગોલા ખાવા ગયેલા હતા, ત્યારે તેઓની સામે વાહનો ઉપર છ થી સાત જણા અજાણ્યા માણસો બેઠા હતા અને તેઓ ઉંચા અવાજે દેકારો કરવા લાગેલ અને ગાળો બોલવા લાગેલ, જેથી આ  બંને જુથ વચ્ચે ગાળાગાળી અને બોલાચાલી થયેલ તેમાં હીરેન ખેરડીયા તથા વિજય ડાંગરએ છરીઓ કાઢી ફરીયાદી ગુજરનાર તથા અન્યો ઉપર હુમલો કરેલ અને આડેધડ છરીના ઘા ઓ મારી દીધેલ હતા અને જેમાં દેવેન્દ્ર ધાંધલને ઇજાઓ થયેલ અભિલવ ખાચરને પણ ઇજા થયેલ અને કુલદીપ ચાંપરાજભાઇ ખવડને જીવલેણ ઇજાઓ થતાં તેઓનું મોત નિપજેલ હતું અને આ ગુન્હામાં પોલીસે બંને પોલીસ પોન્સ્ટેબલો સહીત અર્જુનસિંહ ચોૈહાણ, પાર્થ  શૈલેષભાઇ દોશી તથા અંકુર કિરીટભાઇ સંચાણીયાની ધરપકડ કરેલી હતી અને તેઓ વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરેલી હતી.

ઉપરોકત બનાવમાં  અંકુર સંચાણીયાએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ અને જામીન અરજીમાં રજુઆત કરેલ કે હાલના અરજદાર સામે મદદગારીનો રોલ છે, તેઓનું ફરીયાદમાં નામ આપવામાં આવેલ નથી, અને સાસ્ટીફીક પુરાવો પણ હાલના અરજદાર વિરૂધ્ધ જણાય આવતો નથી કેસમાં ચાર્જશીટ પણ થઇ ગયેલ છે તેવી રજુઆતો કરેલી હતી, તેવા સંજોગોમાં હાઇકોર્ટે પોલીસ તપાસના કાગળો કાયદાકીય પરિસ્થિતી અને બચાવપક્ષની રજુઆતો ધ્યાને લઇ આરોપીને રૂ  ૧૦,૦૦૦/- ના શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં બચાવપક્ષે ભગીરથસિંહ ડોડીયા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, નયન મણીઆર, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:43 pm IST)