Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

લક્ષ્મીવાડી કવાર્ટરના બોરીચા પ્રોૈઢ ભરતભાઇનું બેભાન હાલતમાં મોત

માયાણીનગર કવાર્ટરના શ્રીકાંતાબેન ગુપ્તાનું શ્વાસ ચડ્યા બાદ બેભાન થઇ જતાં મોત

રાજકોટ તા. ૩૦: લક્ષ્મીવાડી કવાર્ટર નં. ૧૬૨માં રહેતાં ભરતભાઇ ટપુભાઇ સવસેટા (ઉ.૫૭) નામના બોરીચા પ્રોૈઢ સાંજે સાડા આઠેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ભરતભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ બે બહેન અને ચાર ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સ્વજનોએ જણાવ્યું હતું.

બીજા બનાવમાં માયાણીનગર આવાસ યોજના કવાર્ટર બેકબોનની સામેની શેરીમાં કવાર્ટર નં. બી-૧માં રહેતાં મુળ ગોરખપુર યુ.પી.ના શ્રીકાંતાબેન શિવાભાઇ ગુપ્તા (ઉ.૪૦) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ માલવીયાનગર પોલીસને જાણ કરતાં એએસઆઇ કે. કે. માઢકે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પતિ શિવાભાઇ કલરકામ કરે છે. સંતાનમાં ત્રણ પુત્રી છે. શ્વાસની તકલીફ થઇ ગયા બાદ બેભાન થઇ ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

(1:19 pm IST)