Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ડિવાઇનફીલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન-રકતદાન કેમ્પ

રાજકોટ : ડીવાઇનફીલ ટ્રસ્ટ દ્વારા સરોજીની નાયડુ ગર્લ્સ સ્કુલના વિશાળ ભવનમાં સર્વરોગ નિદાન અને થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે શહેરની સહકારી સિવિલ હોસ્પિટલના સહયોગથી રકતદાન કેમ્પ યોજાઇ ગયો, જેમાં ૭૩૦ દર્દીઓને લાભ લીધો, આ કેમ્પમાં શહેરના જાણીતા ડો. રાજીવ મિશ્રા, ડો. ભૂમિ પબાણી, ડો. કેનીત આરદેશણા, ડો. જતીન પટેલ, ડો.જયોતિ પરમાર, ડો. જયેશ પટેલ  તથા ડો. સહેરા વાટકિયા અને ડો. પાર્થ પટેલે સેવા આપી હતી. ટ્રસ્ટના સેવાયજ્ઞને સફળ બનાવવા પ્રમુખ ભરતભાઇ પરમાર તથા ડિવાઇનફીલ ટીમના મહેશભાઇ ઉનાગર, કમલભાઇ શિંગાળા, પ્રશાંતભાઇ તન્ના, રાજુભાઇ ભીમાણી, વિજયભાઇ ત્રાંબડીયા, કૈલેશભાઇ લાલાણી, કિશોરભાઇ ભીમાણી, પિયુષભાઇ વૈદ, કિરીટભાઇ ચાવડા, ચિરાગભાઇ સીણોજીયા, આનંદ સોલંકી, મૌલિક ચાવડા, અશોકભાઇ ગોંડલીયા, શ્રી ચાવડા, સંજયભાઇ ચૌહાણ, દેવાંગ દુધરેજીયા, સુમિતભાઇ જોટાંગીયા, બીનલ સોની, રણછોડભાઇ રાઠોડ, ચિરાગ પરમાર, રાજેશ જોટનીયા, ક્રિપાલસિંહ વાઘેલા તથા અનિરૂધ્ધસિંહ ડોડીયા વગેરેએ સેવાઓ આપી હતી.

(4:06 pm IST)