Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

જન્માષ્ટમીએ કોર્પોરેશન દ્વારા આવાસના લાભાર્થીઓને મકાનની ભેટ

શનિવારે મુખ્યમંત્રી ગૃહ યોજના(રેલનગર, પોપટપરા), ગોકુલનગર આવાસ યોજના તથા સફાઇ કામદાર આવાસ યોજનાના લાભાર્થીઓનો ડ્રો. ઉદયભાઇ, જયાબેન, મનીષભાઇ રાડીયા

રાજકોટ, તા.૩૦: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી આવાસો બનાવી રહેલ છે. શહેરના ઘરવિહોણા લોકોને દ્યરના દ્યરનું સપનું સાકાર થાય તે માટે મહાનગરપાલિકા સતત કાર્યરત છે. અત્યાર સુધીમાં ૨૦૦૦૦ જેટલા આવાસો અલગ અલગ સ્થળોએ બનાવવામાં આવ્યા છે.

આ  અંગે કોર્પોરેશનની સતાવાટ યાદમાં જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ગૃહ યોજના (રેલનગર, પોપટપરા) આવાસની ફાળવણી બાદ જે અરજદારોએ આવાસ નહી સ્વીકારતા તેવા ખાલી પડેલ ૭૩ જેટલા આવાસો જેઓ વેઇટિંગ લીસ્ટેડ છે તેઓને ફાળવવા માટે તેમજ ગોકુલનગર વિસ્તારમાં સરકારશ્રીની ઇન્સીટુ યોજના અંતર્ગત ૫૦ લાભાર્થી ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે બનાવવામાં આવેલ યોજના અંતર્ગત વેઇટિંગ મુજબના ૯ લાભાર્થીઓને આવાસ ફાળવવા માટેનો ડ્રો તા.૦૧ શનિવારના રોજ સવારના ૧૧:૩૦ કલાકે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવેલ છે.

આ ડ્રો કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડે.કમિશનરશ્રી  જાડેજા  કોર્પોરેટરશ્રીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.

વેઇટિંગ લીસ્ટવાળા લાભાર્થીઓને પવિત્ર શ્રાવણ માસના જન્માષ્ટમીના તહેવાર નિમિતે પોતાના દ્યરના દ્યરની ભેટ મળે તેવા શુભ હેતુથી આવાસ ફાળવણી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે. આ ડ્રોનો નિર્ણય કરતા લાભાર્થીઓએ આનંદની લાગણી વ્યકત કરેલ છે. તેમ અંતમાં બંને ચેરમેનશ્રીએ જણાવેલ.

તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ કલીયરન્સ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા એક સંયુકત યાદીમાં જણાવ્યું છે.(૨૨.૧૫)

(3:49 pm IST)