Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

શિવમ્ ગ્રુપ દ્વારા કાલે શુક્રવારે રાહતદરે ફરસાણ - મિઠાઈ વિતરણ

રૂ.૧૫૦માં બે કિલો ફરસાણ અને ૫૦૦ ગ્રામ મિઠાઈ

રાજકોટ, તા. ૩૦ : શિવમ ગ્રુપ દ્વારા પૂર્વ કોર્પોરેટર તેમજ સેવાભાવી સ્વ.પ્રવિણસિંહ પરમારના સ્મરણાર્થે સાતમ આઠમના તહેવાર નિમિતે સતત ૧૭માં વર્ષે રાહત દર ફરસાણ તેમજ મિઠાઈ વિતરણનું આયોજન આવતીકાલે તા.૩૧ને શુક્રવારે સવારે ૮ થી સાંજે ૬ સુધી રાખેલ છે. આ કાર્યક્રમમાં રૂ.૧૫૦માં ૨ કિલો ફરસાણ અને ૫૦૦ ગ્રામ મીઠાઈ આપવામાં આવશે. જાણીતા ઉદ્યોગપતિ રમેશભાઈ પટેલ (પટેલ બ્રાસ - વર્કસ) દ્વારા શ્રી શંભુભાઈ પરસાણા (પ્રશાંત કાસ્ટીંગ) તથા નારણભાઈ પટેલ (ઈન્ડિયા બ્રાસ)ના હસ્તે ઉદ્દઘાટન રાખેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા શિવમ્ ગ્રુપના કુલદીપસિંહ પરમાર, રાજેશ પરસાણા, જયેશ ઉદેશી, ગીરીરાજસિંહ જાડેજા, વિનોદ પોકર, જીતુભાઈ પરસાણા, ધવલ જોષી, કમલ લીંબડ, ચેતન શુકલ, સંજય ધીનોજા, રાજુ જોષી, મહેન્દ્ર કામલીયા, પંકજ પરમાર, ભરત દાવડા, પરાગ પરમાર, ઉદયભાઈ પરમાર, વિજય પરમાર, પાર્થિવ દવે, પશાલાલ પરસાણા, રાજુભાઈ ભીમજીયાણી, મનોજભાઈ દાઢી, વિપુલ પટેલ, રાજુભાઈ ટોમેટો તથા સર્વે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

સ્થળ : પી.એમ. એન્ટરપ્રાઈઝ, ૬/૧૧ ભકિતનગર સ્ટેશન પ્લોટ, બોમ્બે ગેરેજ પેટ્રોલપંપની સામેની શેરી, રાજકોટ. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:42 pm IST)