Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

માર્ગ મકાન વિભાગના ર૪ અધિકારીઓને જન્માષ્ટમીની ભેટ : ઇજનેર તરીકે બઢતી

રાજકોટ, તા., ૩૦: રાજય સરકારે માર્ગ મકાન વિભાગના વર્ગ-ર ના નાયબ કાર્યપાલક ઇજનેર (સીવીલ) કક્ષાના ર૪ અધિકારીઓને વર્ગ-૧ માં કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી આપી છે. વિભાગના નાયબ સચિવ કોમલ ભટ્ટની સહીથી આજે હુકમ કરવામાં આવેલ છે.

જે અધિકારીઓને બઢતી મળી છે તેમાં રાજકોટના એન.કે.કામદાર, ભાવનગરના એચ.કે.દોશી વગેરેનો સમાવેશ થાય છે. થરાદના એલ.વી.વારીયાને જુનાગઢ, ડેડીયાપાડાના એસ.જી.ચૌધરીને અમરેલી, જુનાગઢના વી.એમ.દેવાણીને રાજકોટ, સુરતના ડી.એચ.પટેલને ગીર સોમનાથ, પાટડીના કે.આર.વસંતને ભાવનગર તથા રાજકોટના એન.કે.કામદારને દ્વારકા મુકવામાં આવેલ છે. ભાવનગરના એચ.કે.દોશીને ભાવનગરમાં જ, ગાંધીનગરના જે.આર.ઓઝાને જામનગર, નડીયાદના એચ.બી.શાહને રાજકોટ તથા કોડીનારના બી.પી.જોશીને ગીર સોમનાથમાં નિમણુંક આપવામાં આવી છે. (૪.૧૨)

(3:31 pm IST)