Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

માયાબેન ટેકવાણીની સ્મૃતિમાં વિશેષ રાહતદરે લેબોરેટરી ટેસ્ટ

દાદા જે.પી.વાસવાણીની પ્રેરણા અને વિજયભાઇના જન્મદિનની ખુશી

રાજકોટ, તા., ૩૦:  ઓમ નમઃ સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રેરણાદાતા દાદા જે.પી.વાસવાણી અને પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીના જન્મદિન નિમીતે તા. ર ઓગષ્ટ મંગળવારે સવારે ૮ થી  ૧ર સુધી ૪/૮ ગાયકવાડી, જંકશન પ્લોટ, નાગરીક બેંકવાળી શેરી ખાતે મહા લેબોરેટરી કેમ્પ યોજાનાર છે.  આ કેમ્પ સ્વ. માયાબેન છાંગામલ ટેકવાણીના સ્મરણાર્થે યોજાશે. કેમ્પના દિવસે લેબ ટેસ્ટ કરાવનારને જે તે ટેસ્ટના રાબેતા મુજબના ભાવ કરતા ૫૫ થી ૮૨ ટકા સુધીની ભાવ રાહત અપાશે.  લીપિડ પ્રોફાઇલ, થાઇરોઇડ, હિમોગ્લોબીન, વિટામીન, કોલસ્ટોલ વગેરેની તપાસ કરી આપવામાં આવશે. લાભ લેવા માટે અગાઉથી મોબાઇલ નં. ૯૬૦૧૫૧૫૯૨૦ ઉપર નોંધણી કરાવવી જરૃરી છે તેમ ઓમ નમઃ ફાઉન્ડેશનના પ્રમુખ સુનીલ ટેકવાણી (મો.નં. ૯૮૨૫૨૭૬૦૫૫) અને ટ્રસ્ટી કોર્પોરેટર  કુસુમબેન ટેકવાણી જણાવે છે.

(3:48 pm IST)