Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

શ્યામલાલજીની હવેલીમાં કાલે કાચના હિંડોળા દર્શન

યમુનાષ્ઠકના પાઠ,કીર્તનનું પણ આયોજન

રાજકોટઃઅહિંની સૌથી પ્રાચીન શ્રી શ્યામલાલજીની હવેલીમાં શ્રી શ્યામલાલજી પ્રભુ આવતી કાલે ઠકુરાની ત્રીજ યમુના ત્રીજના ૩૧ ના રવિવારે ભવ્ય કાચના હિંડોળામાં બીરાજમાન થશે. હિંડોળાના દર્શન સાંજે ૦૬:૧૫ કલાકે તેમજ સાંજે ૦૬ થી ૦૭:૩૦ વાગ્યા સુધી શ્રી યમુનાષ્ટકના પાઠ તથા ર્કીતનનું આયોજન રાખેલ છે. સમગ્ર વૈષ્ણવોને દર્શનનો લાભ લેવા શ્રી જયેશભાઇ હરિદાસભાઇ મુખિયાજી તરફથી નિમંત્રણ અપાયું છે. સ્થળઃ શ્રી શ્યામલાલજીની હવેલી (જુની સદરની હવેલી) પંચનાથ મંદિર મેઇન રોડ જય સીયારામ પેંડા વાળાની સામે રાજકોટ, મો. ૮૫૧૧૭૬૩૭૬૩

(3:47 pm IST)