Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

કુવાડવાના મઘરવાડામાં માનસીક બીમારીથી કંટાળી વૃધ્‍ધા ડાહીબેનનો આપઘાત

એકલવાયુ જીવન જીવતા વૃધ્‍ધાને લટકતી હાલતમાં જોઇ પરિવારજનોએ દેકારો મચાવ્‍યો

રાજકોટ તા. ૩૦ : કુવાડવા નજીક મઘરવાડામાં રહેતા વૃધ્‍ધાએ માનસીક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકવ્‍યાપી ગયો હતો.

મળતી વિગત મુજબ મઘરવાડામાં રહેતા ડાહીબેન નટુભાઇ તલસાણીયા (ઉ.૮ર)એ પોતાના ઘરે લોખંડની એંગલમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો વૃધ્‍ધાને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.  બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્‍ધાનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરી હતી જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્‍સ. મોહિતભાઇ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં મૃતક ડાહીબેનને સંતાનમાં ત્રણ પુત્ર અને પાંચ પુત્રી છે. તે ઘણા સમયથી એકલા રહે છે. માનસીક બીમારથી કંટાળી તેણે આ પગલું ભર્યું હોવાનું ખુલ્‍યુ હતું.

(3:33 pm IST)