Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રેલનગર શ્રીજીપાર્કમાં બીમારી અને ઘરકંકાસના લીધે હેતલબેન પંડિતનો આપઘાતનો પ્રયાસ

પતિ અને પુત્ર ઘરે જમવા આવતા મહિલાને લટકતી જોઇ તાકીદે ઉતારી જીવ બચાવ્‍યો

રાજકોટ તા. ૩૦ : રેલનગરમાં શ્રીજીપાર્કમાં રહેતી મહિલાએ પેટની બીમારી અને ઘરકંકાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ રેલનગર પાસે શ્રીજીપાર્કમાં રહેતા હેતલબેન પરેશભાઇ પંડીત (ઉ.૩૯) એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. પતિ અને પુત્ર ઘરે જમવા માટે આવતા હેતલબેનને લટકતા જોઇ તાકીદે તેને ેનિચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્‍પીટલમાં ખસેડાયા હતા સારવાર લઇ રહેતા હેતલબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ ધોબીકામ કરે છે. બનાવની જાણ થતા પ્રનગર પોલીસ મથકના હેડ કોન્‍સ સોનલબેન તથા રાઇટર ગૌતમભાઇએ તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં મહિલાને પેટની બીમારીના લીધે દુઃખાવો સહન ન થતો હોય તેમજ ઘરકંકાસથી કંટાળી તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્‍યું છે. 

(3:14 pm IST)