Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાજકોટની પ્રિતીનો વિરનગરમાં ફાંસો ખાઇ આપઘાતઃ માવતર પક્ષનો હત્‍યાનો આક્ષેપ

ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયોઃ પતિ-પત્‍નિ વચ્‍ચે મોબાઇલ બાબતે થોડા દિવસ પહેલા ચડભડ થતાં રાજકોટથી પિતા સમાધાન માટે ગયા'તા

રાજકોટ તા. ૩૦: વિરનગર સાસરૂ ધરાવતી અને રાજકોટ થોરાળામાં માવતર ધરાવતી પ્રિતીબેન દિલીપભાઇ દાફડા (ઉ.૨૨) નામની પરિણીતાએ વહેલી સવારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં માવતર પક્ષ દ્વારા હત્‍યાનો આક્ષેપ થતાં પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો છે.

પ્રિતીબેને આપઘાત કરી લીધાનો સવારે તેના સસરા જગદીશભાઇએ રાજકોટ રહેતાં વેવાઇ ગોરધનભાઇ રાઠોડને ફોન કરતાં તેઓ ત્‍યાં પહોંચ્‍યા હતાં. ત્‍યારે મૃતદેહ ઉતારી લેવાયેલો હતો. એ પછી ૧૦૮ને જાણ કરાઇ હતી. તેના તબિબે તેણીને મૃત જાહેર કરી હતી. પિતા ગોરધનભાઇએ કહ્યુ઼ હતું કે થોડા દિવસ પહેલા અમારી દિકરી અને જમાઇ વચ્‍ચે મોબાઇલ ફોન પ્રશ્ને માથાકુટ થઇ હતી. ત્‍યારે હું વિરનગર ગયો હતો અને દિકરીને માવતરે લઇ આવવાનું નક્કી કર્યુ હતુ. પરંતુ તેના સાસરિયાએ થોડા દિવસ પછી લઇ જવાનું કહ્યું હતું. ત્‍યાં આજે દિકરીના મોતના વાવડ મળ્‍યા હતાં. અમે પહોંચ્‍યા ત્‍યારે મૃતદેહ ઉતારી લેવાયો હતો. અમને શંકા છે કે દિકરીએ જાતે પગલુ નથી ભર્યુ. તેની હત્‍યા કરવામાં આવી હશે.

મૃત્‍યુ પામનાર પ્રિતીબેન એક ભાઇથી નાની હતી. તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. પતિ છુટક મજૂરી કરે છે. વિરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:10 pm IST)