Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

મવડીમાં બિમારીથી બેભાન થયા બાદ ઓરિસ્‍સાના કમલેશનું મોત

રાજકોટ તા. ૩૦: મવડી નંદનવનમાં નવી બનતી સાઇટ પર કડીયા કામ કરતાં મુળ ઓરિસ્‍સાના કમલેશ ઝરીયાભાઇ કુમાર (ઉ.૨૦)ને પાંચ દિવસ પહેલા બિમારી સબબ ગુંદાવાડી હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. અહિ આજે મોત નિપજતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.  કમલેશ ચાર ભાઇમાં મોટો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી.

(10:34 am IST)