Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

પૂ. ધીરગુરુદેવ પ્રેરિત સચિત્ર તત્ત્વાર્થ સૂત્ર-ઓપન બુક એક્‌ઝામ

રાજકોટ તા. ૩૦: જૈનધર્મના પ્રભાવક આચાર્ય ઉમા સ્‍વાતિજી આગમ જ્ઞાતા અને બહુશ્રુત હતા. સંસ્‍કૃતના અધિકારી વિદ્વાન હતા. બ્રાહ્મણ કુળમાં જન્‍મેલા ઉમા સ્‍વાતિજીએ પ૦૦ ગ્રંથોની રચના કરી હતી. જેમાં ‘પ્રશમ રતિ' ગ્રંથ અદ્દભુત છે.

તત્ત્વાર્થ સૂત્ર એટલે ધરતી પર રહીને દેવોની દુનિયાનું દિગ્‍દર્શન કરાવનાર અલૌકિક ગ્રંથ, શ્રાવકના ૧ર વ્રત અને અતિચારોનું વિસ્‍તૃત વર્ણન નાના-નાના સૂત્રમાં મોક્ષ માર્ગ જાણે કે ગાગરમાં સાગર.

જૈનાચાર્ય પૂ. શ્રી જશાજી સ્‍વામીની શતાબ્‍દી અંતર્ગત ગ્રંથ પ્રકાશનમાં પૂ. ધીરજમુનિ મ.સા.એ સંકલન કરેલ છે. વિવિધ ચિત્રથી સમજૂતી સરલ બની છે.ધારાસભ્‍ય વિક્રમભાઇ માડમના સહયોગથી ૩૦૦ રૂપિયાનું પુસ્‍તક જ્ઞાનાર્થે રૂપિયા ૬૦ માં પ્રશ્‍નપત્ર સહિત ૧ મહિના સુધી મળશે. રાજકોટ ખાતે શ્રી જશ-પ્રેમ-ધીર સંકુલ, વૈશાલીનગર, પહેલા માળે તથા સરદારનગર ઉપાશ્રય ખાતેથી મળશે. પરીક્ષા ન આપનારે વસાવવા અને વાંચવા જેવું છે. મુંબઇમાં વિલેપારલે (વેસ્‍ટ), હિંગવાલા સંઘ-ઘાટકોપર ખાતેથી મળશે.

(2:49 pm IST)