Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

ગવલીવાડ વિરમાયા પ્લોટની છાત્રા અવની જાદવનું બેભાન હાલતમાં મોત

રાજકોટ, તા. ૩૦ :. ગવલીવાડમાં વિરમાયા પ્લોટમાં રહેતી છાત્રાનું બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગત મુજબ ગવલીવાડ વિરમાયા પ્લોટમાં શેરી નં. ૪ માં રહેતી અવની રોહીતભાઈ જાદવ (ઉ.વ.૧૫) પોતાના ઘરે હતી ત્યારે બેભાન થઈ જતા તેના પરિવારજનોએ તેને રીક્ષા મારફતે સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ હતી ત્યાં તપાસનીશ તબીબોએ તેનું મોત નિપજ્યુ હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક અવની એક ભાઈ અને બે બહેનમાં નાની હતી. તે કોટક સ્કૂલમાં ધોરણ ૧૧ કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા આરએમસીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. બનાવની જાણ થતા પીએસઆઈ બી.પી. વેગડા તથા રાઈટર બાબુભાઈએ છાત્રાના મોત પાછળનું કારણ જા ણવા તપાસ આદરી છે.(૨-૨૬)

(3:48 pm IST)