Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

વેલનાથપરાના યશોદાદેવી પંડિત બહારથી ઘરે આવ્‍યા બાદ એકાએક ઢળી પડયાઃ મોત

હુડકો ચોકી પાસે રહેતાં મુળ બિહારના પરિવારમાં બનાવથી ગમગીની

રાજકોટ તા. ૩૦: હુડકો ચોકડી પાસે વેલનાથ સોસાયટીમાં રહેતાં યશોદાદેવી ભરતભાઇ પંડીત (ઉ.વ.૫૫) ગત સાંજે બહારથી ઘરે આવ્‍યા બાદ એકાએક ઢળી પડતાં અને બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

યશોદાદેવીને ઇમર્જન્‍સી વિભાગમાં દાખલ કરાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે આજીડેમ પોલીસને જાણ કરી હતી. તેણી મુળ બિહારના વતની હતાં. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે. દિકરાએ જણાવ્‍યું હતું કે અમારે બીજુ મકાન શ્રીહરિ ઇન્‍ડસ્‍ટ્રી એરીયામાં છે. મારા માતા ગઇકાલે ત્‍યાં હતાં. સાંજે સાડા આઠેક વાગ્‍યે ત્‍યાંથી વેલનાથ સોસાયટીના ઘરે આવ્‍યા ત્‍યારે એકાએક ચક્‍કર આવી ગયા હતાં અને ઢળી પડયા હતાં. તેમને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

(1:13 pm IST)