Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા એપ્રિલમાં જીવનસાથી પસંદગી મેળો

તમામ તળગોળ ભાગ લઈ શકશેઃ ૧૨મી સુધી ફોર્મ ભરી દેવા

રાજકોટ,તા.૩૦: અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠનના નેજા હેઠળ પ્રથમ બ્રહ્મ મહિલા સંગઠન દ્વારા જીવન સાથી પંસદગી સંમેલનનું તા.૨૮ એપ્રિલના આયોજન અરવિંદભાઈ મણીયાર હોલ, જયુબેલી ગાર્ડન ખાતે સવારે ૯ થી ૧૨ કરેલ છે. જેમા એક યુવક, યુવતી વાલી સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તથા જીવનસાથી સંમેલનની બુક પણ ત્યાંથી મળી શકશે આ આ જીવનસાથી સંમેલનમાં  તમામ તળગોળના બ્રાહ્મણો ભાગ લઈ શકશે એન.આર.આઈ, દીવ્યાંગ, વિધવા, છુટાછેડા, કર્મકાંડી બ્રાહ્મણ વિધુર અને મોટી ઉમરના બધાજ ફોર્મ ભરી શકશે.

આ સંમેલનનો હેતુ જે સભ્ય બન્યા હશે તેને દર ત્રણ મહિને નિઃશુલ્ક જીવનસાથી સંમેલનનું ગેટ ટુ ગેધર કરવામાં આવશે. કાયમી ધોરણે મહીનાના છેલ્લા રવિવારે યુવક અને યુવતી અને વાલીઓએ ઉપસ્થીત રહેવાની મેમ્બર શીપ રૂ.૨૦૦ અલગથી જયારે પસંદગી મેળાની ફી રૂ.૫૦૦ અને ૨૦૦ રાખેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા સર્વશ્રી જે.ડી.ઉપાધ્યાય, કનુભાઈ વ્યાસ, દિનેસભાઈ ત્રિવેદી, નિલેષભાઈ ભટ્ટ, ડો.પુરચીત બક્ષી, રાજુભાઈ શુકલ, અનિલભાઈ ત્રિવેદી, જયુભાઈ શાસ્ત્રી, ધીરૂભાઈ ભટ્ટ, પ્રવિણભાઈ ભટ્ટ, જેન્તીભાઈ ત્રિવેદી, લલીતભાઈ ઉપાધ્યાય, મુકેશભાઈ શુકલ, પ્રમોદભાઈ બક્ષી, કેતનભાઈ ત્રિવેદી, કૌશીકભાઈ ત્રિવેદી, બીપીનભાઈ ભટ્ટ, ચંદ્રકાંન્તભાઈ ભટ્ટ, જયેશભાઈ દેશાઈ, ધમેન્દ્રભાઈ ભટ્ટ, જયેષભાઈ જોષી, માધવીબેન ઉપાધ્યાય, શિતલબેન ત્રિવેદી, હિરલબેન જાની, નિશાબેન પંડ્યા, ચંદ્રેકાબેન જાની, કવિતાબેન ઓજા, પલવીબેન દવે, પુર્ણીમાબેન ત્રિવેદી, વિણાબેન પંડ્યા, સાધનાબેન બક્ષી, એકતાબેન બક્ષી, વૈશાલીબેન મોઢા, ડો.પુલકિત બક્ષી, જયંતિભાઈ ત્રિવેદી, નિલેશભાઈ ભટ્ટ, રાજેશભાઈ શુકલ, કેતનભાઈ ત્રિવેદી, દિનેશભાઈ ત્રિવેદી જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો.૯૮૨૪૯ ૧૩૧૮૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:41 am IST)