Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પરમાર ક્ષત્રીય સમાજ મુળી ચોવીસી દ્વારા રાજા ભોજરાજ જયંતિની ઉજવણી

રાજકોટ, તા.૩૦: પરમાર ક્ષત્રીય સમાજ મુળી ચોવીસી રાજકોટ દ્વારા માળવા નરેશ મહારાજા ધીરાજ ચક્રવર્તી રાજા ભોજરાજજીની ૧૦૪૨ જન્મજયંતી શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઇ હતી.

મહારાજા ભોજરાજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રગટાવી વંદના કરાઇ હતી. આ પ્રસંગે પરમાર ક્ષત્રીય સમાજ મુળી ચોવીસી રાજકોટ અને ગુજરાતના મહામંત્રી તેમજ રાજા ભોજ જનકલ્યાણ સેવા સમિત રતલામના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજેન્દ્રસિંહ જે. પરમાર મુળી દ્વારા મહારાજા ભોજરાજજીના જીવન વિશે તેમજ ઐતિહાસિક માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત શ્રી વિક્રમસિંહ વી.પરમાર કુકડાએ ઐતિહાસિક માહિતી આપી હતી.

 પરમાર સમાજ મુળી ચોવીસી રાજકોટના હોદેદારો સર્વશ્રી રાજેન્દ્રસિંહ જે. પરમાર, માનદ મંત્રી વિક્રમસિંહ ડી.પરમાર ગૌતમગઢ, સંગઠન મંત્રી રવિરાજસિંહ બી.પરમાર મુળી કારોબારી સભ્ય, તેમજ યુવા પ્રમુખ તેમજ વિક્રમસિંહ બી. પરમાર કુકડા, જયદીપસિંહ કે. પરમાર કારોબારી સભ્ય લીમલી, તેમજ યુવા કાર્યકરો સર્વશ્રી ભગીરથસિંહ આર.પરમાર, અનિરૃધ્ધસિંહ એમ. પરમાર, યુવરાજસિંહ એમ. પરમાર, મુળી મયુરસિંહ જે. પરમાર મેઘરાજસિંહ જે. પરમાર નવાણીયા, હાર્દિકસિંહ એ. પરમાર ટીડાણા, વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવા જહેમત ઉઠાવી હતી.

(3:50 pm IST)