Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જુનાગઢના ચોરીના ગુનામાં ફરાર અર્જુન રાજકોટમાં રમકડા વેંચતો'તો

પેરોલ ફરલો સ્કવોડે દુધ સાગર રોડ પરથી દબોચ્યોઃ અગાઉ ચાર ઘરફોડીમાં સંડોવણી

રાજકોટ તા. ૩૦: જુનાગઢના સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા સાત મહિનાથી મુળ સુરતનો અર્જુન જેન્તીભાઇ સોલંકી (ઉ.૨૫) નાસતો ફરતો હોઇ અને હાલ તે રાજકોટમાં ભુતખાના ચોક પેટ્રોલ પંપ સામે ફૂટપાથ પર રહી રમકડા વેંચતો હોવાની માહિતી મળતાં પોલીસ એ સ્થળે પહોંચતા તે મળી આવ્યો નહોતો. તપાસ કરતાં તે દૂધ સાગર રોડના છેડે યાસીનભાઇના પેટ્રોલ પંપ નજીકથી ઝડપાઇ ગયો હતો.

શહેર પેરોલ ફરલો સ્કવોડના એએસઆઇ ઝહીરખાન ખફીફ તથા ટીમે આ કામગીરી કરી હતી. આ શખ્સ અગાઉ રાજકોટના માલવીયાનગર, ભકિતનગર, જુનાગઢના ચોરીના ચાર ગુનામાં પકડાઇ ચુકયો હતો અને જુનાગઢના વધુ એક ઘરફોડીના ગુનામાં નામ ખુલ્યા બાદ સતત ફરાર હતો.

(3:37 pm IST)