Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૬૫ સુવર્ણચંદ્રક વિજેતા તેજસ્વી તારલાઓનું સન્માન

પદવીદાન સમારોહમાં ૨૨ છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત થયા હતા

રાજકોટ, તા. ૨૯ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલે વિવિધ વિદ્યાશાખામાં સૌથી વધુ ગુણ મેળવીને સુવર્ણચંદ્રક હાસલ કરનાર ૬૫ તેજસ્વી તારલાઓનું બહુમાન કરવામાં આવનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં યોજાયેલ પદવીદાન સમારોહમાં કોરોનાને કારણે મર્યાદીત છાત્રોને બોલાવવામાં આવ્યા હતા. હવે બાકી રહી ગયેલા ગોલ્ડ મેડાલીસ્ટ તેજસ્વી છાત્રોનો તા. ૩૦ના બપોરે ૧૨ કલાકે સેનેટ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો છે. જેમા કોવીડ-૧૯ની માર્ગદર્શીતાનું ચૂસ્ત પાલન થશે.

આ પ્રસંગે કુલપતિ પ્રો. નીતિનભાઈ પેથાણી, રજીસ્ટ્રાર જતીનભાઈ સોની, પરીક્ષા નિયામક નિલેશભાઈ સોની સહિતના ઉપસ્થિત રહેશે.

(3:40 pm IST)