Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ડો.ધીરજલાલ સાવલિયા લિખિત ગ્રંથ 'ભોજા ભગત સમીક્ષાત્મક અધ્યયન ગ્રંથ'નું વિમોચન

રાજકોટ : સંત કવિ ભોજા ભગતના વંશજ પ્રો. ડો. શ્રી ધીરજલાલ સાવલિયા  લિખિત ડોકટરેટના મહાનિબંધ 'ભોજા ભગત સમીક્ષાત્મક અધ્યયન' ગ્રંથ એમના સુપુત્ર પ્રો. ડો. જયદીપ સાવલીયાએ પ્રકાશિત કર્યો છે. તેની લોકાર્પણવિધિ જાણીતા સાહિત્યકાર અને ભોજાભગતના જીવન કવન ઉપર સાત પુસ્તકો લખનાર મનસુખલાલ સાવલિયા (મો.૯૮૭૯૩ ૧૨૪૫૪) ના હસ્તે ભોજલધામ ફતેપુરમાં ગાદીપતિ મહંતશ્રી ભકિતરામજીના પ્રમુખસ્થાને સંપન્ન થઇ હતી. આ પ્રસંગે પ્રો. ડો. જયદીપ સાવલિયા, દિનેશ સાવલિયા, મનુભાઇ સાવલિયા, જગદીશભાઇ, ભરતભાઇ, વિનુભાઇ, પ્રો. રાજાણી તથા હસમુખભાઇ કાછડીયા વગેરે ઉપસ્થિત નજરે પડે છે. (૧૬.૧)

(4:14 pm IST)