Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

બાલભવનમાં અભિનય બાલગીત

રાજકોટઃ બાલભવન રાજકોટ દ્વારા ૫ થી ૧૬ વર્ષ સુધીનાં બાળકો માટે સાંસ્કૃતિક સ્પર્ધા અંતર્ગત અભિનય બાલગીત સ્પર્ધા (ધો.૫ થી ૭) યોજાએલ. જેમા મુખ્યમહેમાનપદે રંજનબેન પોપટ, રમેશભાઈ છાયા બોયઝ સ્કૂલ તથા મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હેલીબેન ત્રિવેદીએ ઉદ્ઘાટન કરેલ. સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રવીણભાઈ એમ.ચૌહાણ તથા જયભાઈ કે.પાણેરીએ સેવા આપેલ. ૪૨ જેટલા બાળકોએ ભાગ લીધેલ. જેમાં પ્રથમ નમસ્વી રાજપુત, દ્વિતીય સાક્ષીબા યુ.ઝાલા તથા તૃતીય નિષ્ઠા એચ.જોષી તથા બે બાળકો પ્રોત્સાહનરૂપે પલક પી.ખાચર તથા રાજવી એમ.આડેસરા વિજેતા બનેલ. વિજેતા બાળકોને મુખ્ય મહેમાનો તથા નિર્ણાયકો હસ્તે ઈનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા. પી.એમ.ચૌહાણએ વકતવ્ય આપેલ.(૩૦.૧૦)

(4:00 pm IST)