Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

સુશાસન અંગે છાત્રોની પરીક્ષા

અટલબીહારી બાજપાઈજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીની અધ્યક્ષતા અને મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા સહીતનાની ઉપસ્થિતિમાં આત્મીય કોલેજ ખાતે  વિદ્યાર્થીઓમાં સુશાસન સામાન્ય જ્ઞાન પ્રતિયોગીતા (હેતુલક્ષી પરીક્ષા)નું અયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધો.૧૧, ૧૨ તથા કોેલેજના અંદાજે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમામ પરીક્ષાર્થીઓને શહેર ભાજપ દ્વારા સર્ટીફિકેટ તેમજ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શીલ્ડ અર્પણ કરવામાં આવશે.(૩૦.૧૧)

(4:00 pm IST)