Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

૩ દિ'માં ૩૯ ગરીબ કલ્યાણ મેળાઃ રાજકોટમાં ૪ જાન્યુઆરીએ

પોરબંદર, ખંભાળિયા, સુરેન્દ્રનગરમાં આવતા ગુરૂવારે આયોજનઃ મોરબી, અમરેલી, બોટાદ, જામનગર, જુનાગઢ માટે પ જાન્યુઆરી નક્કી

રાજકોટ તા.૨૯ : રાજય સરકાર દ્વારા તા.૩ થી પ જાન્યુઆરી વચ્ચે ૩૩ જિલ્લા અને ૬ મહાનગરોમાં ૩૯ ગરીબ કલ્યાણ મેળા યોજાનાર છે. દરેક કલ્યાણ મેળામાં મંત્રીઓ અને બોર્ડ નિગમના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. લાખો લોકોને હાથોહાથ સરકારી સહાય ચુકવાશે.

સૌરાષ્ટ્રમાં તા.૩ જાન્યુઆરીએ સુરેન્દ્રનગર અને ખંભાળિયા, તા.૪ જાન્યુઆરીએ ભાવનગર, પાટણ, વેરાવળ, તા.પ જાન્યુઆરીએ અમરેલી, બોટાદ, જામનગર, મોરબી અને જુનાગઢમાં ગરીબ કલ્યાણ મેળો થશે.

જુનાગઢમાં ભરતસિંહ ડાભી અને ધનસુખ ભંડેરી, બોટાદમાં સૌરભ પટેલ અને ગિરીશ શાહ, રાજકોટમાં જયેશ રાદડિયા અને મેઘજીભાઇ કણઝરીયા, સુરેન્દ્રનગરમાં કુંવરજીભાઇ બાવળિયા અને આઇ.કે.જાડેજા, ખંભાળિયામાં વાસણભાઇ આહિર અને મુળુભાઇ બેરા ઉપસ્થિત રહેશે. જિલ્લા મથકે કાર્યક્રમ સ્થળની જાહેરાત હવે પછી થશે.

(3:54 pm IST)