Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ગુરૂજીનગર કવાર્ટરમાં એકલા રહેતાં મહિલાનું મોતઃ વાલીની શોધખોળ

સારવારમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેમણે પોતાનું નામ અરૂણાબેન વડીયા જણાવ્યું હતું

રાજકોટ તા. ૨૯: સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં આશરે ૫૦ વર્ષના મહિલા તા. ૨૬ના સાંજે ચારેક વાગ્યે બિમારીથી બેભાન થઇ જતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે તે વખતે તેમણે પોતાનું નામ અરૂણાબેન વડીયા  જણાવ્યું હતું. આ મહિલાનું આજે સવારે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો યુનિવર્સિટી પોલીસનો ૦૨૮૧ ૨૫૭૫૧૨૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૧૪.૫)

(11:52 am IST)