Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

અંતે રાજકોટના શિક્ષણ અધિકારી (DEO) એમ. આર. સાગરકાની થઈ બદલી : ગીર - સોમનાથ DEO તરીકે મુકાયા : રાજકોટના નવા DEO તરીકે આર. એસ. ઉપાધ્યાયની નિમણૂક

જકોટ : છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની બદલીની અટકળો ચાલી રહી હતી ત્યારે આજે સાંજના ૫ કલાકે રાજય શિક્ષણ વિભાગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર. એમ. સગારકાની બદલીનો હુકમ કર્યો છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની બદલી થતાં તેમની જગ્યાએ શ્રી આર.એસ. ઉપાધ્યાયની બદલી કરવામાં આવી છે. શ્રી આર.એસ. ઉપાધ્યાય ટૂંક સમયમાં તેમનો રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનો હવાલો સંભાળી લેશે. જયારે રાજકોટના ડીઈઓ સાંગારકા ગીરગઢડા જિલ્લા શિક્ષણાધિકારી તરીકે નિમાયા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી તરીકે છેલ્લા બે વર્ષના કાર્યકાળમાં શ્રી એમ.આર. સગારકા ખૂબ પ્રમાણિક અધિકારી તરીકે જાણીતા બન્યા છે. પરંતુ તેમની કાર્યપદ્ધતિ માટે વાલીમંડળ, શિક્ષકો, આચાર્યસંઘે તેમજ વહીવટી કર્મચારીઓએ અનેકવાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આરટીઈમાં પ્રવેશ તેમજ ખાનગી શાળાઓને મંજૂરી, સરકારી કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની હાજરી સહિતના મુદ્દે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કામગીરી ચર્ચામાં રહી હતી.
(6:12 pm IST)