Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

વિજયભાઇ જુઠાણા ચલાવીને પાટીદારોને ભોળવી નહીં શકો : નાગજીભાઇ બાસીડા

રાજકોટ તા. ૨૯ : 'દુધમાં સાકર ભળે તેમ પાટીદારો ભાજપમાં ભળી ગયા છે' તેવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જુઠાણાથી પાટીદારો જરાયે ભોળવાશે નહીં. તેમ કોંગ્રેસ કિસાન સેલના કન્વીનર નાગજીભાઇ બાસીડાએ એક યાદીમાં આકરી આલોચના કરતા જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ છે કે ભાજપ છેલ્લા ૨૨ વર્ષથી હકુમત ચલાવી રહી છે. ખેડુતોની એક પણ સમસ્યા હલ કરી નથી. પાણી, વિજયળી, પોષણક્ષમ ભાવ, નકલી બીયારણ સહીતના મુદે ખેડુતો હેરાન પરેશાન છે અને કયા મોઢેથી દુધમાં સાકરની જેમ ભળી જવાની વાતો કરવામાં આવે છે.

પાટીદારો ઉપર લાઠીઓ વિંઝવામાં આવી તે કેમ ભુલી જવાય. મહીલાઓ ઉપર પોલીસ તંત્રએ હાથ ઉપાડી લીધા હતા. ૧૪ નવલોહીયાઓએ જીવ ગુમાવવા પડયા. આ બધુ પાટીદારો હજુ ભુલ્યા નથી. જડબા તોડ જવાબ આપશે. તેમ અંતમાં કોંગ્રેસ કિસાન સેલના કન્વીનર નાગજીભાઇ બાસીડાએ જણાવેલ છે.

(4:32 pm IST)