Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

પતંજલી યોગપીઠના સાધ્વીજી દેવદીતીજીની રાજકોટમાં રવિ-સોમ વિનામુલ્યે યોગશિબિર

 રાજકોટઃ પતંજલિ યોગ સમિતિના રાજકોટ જીલ્લાના પ્રભારી શ્રી નટુભાઈ ચૌહાણે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે યોગઋષિ સ્વામી રામદેવજીના શિષ્યા સાધ્વી દેવાદિતિજી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. ત્યારે રાજકોટમાં  રવિવાર અને સોમવાર અનુક્રમે તા.૩૦ અને ૧ ના રોજ બંને દિવસ સવારે ૬  થી ૭:૩૦ યોગ અને ધ્યાન શિબિરનું (વિનામૂલ્ય) આયોજન થયું છે. આનંદનગર કોલોની પાસે ના હસનવાડી મેઈન રોડ પરના મનપાના મેદાનમાં આ શિબિર યોજાશે.

  ભારત સ્વાભિમાન ટ્રસ્ટ ના પશ્ચિમ ગુજરાતના પ્રાંતપ્રભારી શ્રી લક્ષ્મણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ શિબિર યોજાઈ રહી છે. જેને સફળ બનાવવા ધારેશ્વર મિશનના યોગ ગુરુશ્રી કિશોરભાઈ પઢીયાર, નિશાબેન ઠુંમર, પટ્ટાબેન રાચ્છ, હર્ષદભાઈ યાજ્ઞિક, ગીતાબેન સોજીત્રા જગદીશભાઈ ભાલારા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 પતંજલિ યોગપીઠના સાધ્વીજી દેવદીતીજી રાજકોટ આવી પહોચતા પતંજલિ પરિવારના સર્વશ્રી નટુભાઈ ચૌહાણ, હંસરાજ પટેલ, સંજયભાઈ પટેલ, નયનાબેન રાજયગુરુ, દીલાબા સરવૈયા, નિશાબેન ઠુંમર, મમતાબેન ગુપ્તા, ભાવીષાબેન ગોહેલ, જયોતિબેન પરમાર, ગીતાબેન સોજીત્રા, મિતલબેન સોરઠીયા, બીનાબેન ધકાણ, પાયલબેન સોની વગેરે એ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.  તે પ્રસંગની તસ્વીર. (૪૦.૩)

(3:54 pm IST)