Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

મનોહરસિંહજીની વિદાયથી વિચક્ષણ રાજપુરૂષની ખોટ વર્તાશે : ગોવિંદ પટેલ

રાજકોટ તા. ૨૯ : મનોહરસિંહજી જાડેજાના અવસાનથી રાજકોટે ઉમદા રાજવી  અને વિચક્ષણ રાજપૂરૂષ ગુમાવ્યા છે. તેમ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે શ્રધ્ધા સુમન અર્પણ કરતા જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ છે કે મનોહરસિંહજી પ્રતિભાશાળી પુરૂષ હતા. ૧૯૬૨ થી ૧૯૭૨ સુધી અપક્ષ ધારાસભ્ય તરીકે રહીને બેસ્ટ પાર્લામેન્ટરીયન તરીકે જાણીતા હતા. પ્રખર વકતા પણ હતા. તેમના કાર્યોને આજે પણ લોકો યાદ કરે છે. (૧૬.૨)

(3:52 pm IST)