Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

પતિ તેડવા ન આવતો હોવાથી હીના ઘાંચીએ કેરોસીન પીધું

ચારેક મહિનાથી ચુનારાવાડમાં માવતરે રહે છે

રાજકોટ તા. ૨૯: ચુનારાવાડમાં હાલ માવતરે રહેતી હીના ઇરફાન ઘાંચી (ઉ.૧૯) નામની પરિણીતાએ કેરોસીન પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

હીનાના માતા મહેફુઝાબેનના કહેવા મુજબ દિકરીના લગ્ન સવા વર્ષ પહેલા થયા છે. ચારેક મહિના પહેલા તેણીને કસુવાવડ થઇ ગઇ છે અને ત્યારથી તે માવતરે રહે છે. ભગવતીપરામાં રહેતો પતિ ઇરફાન હવે તેડવા આવતો ન હોઇ જેથી કંટાળી જતાં આ પગલું ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે થોરાળા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(3:50 pm IST)