Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

બજરંગવાડીમાં ૯૦ વર્ષના ખતીમાબેન કઇડાએ જિંદગીથી કંટાળી સળગીને આત્મહત્યા કરી

રાજકોટ તા. ૨૯: જામનગર રોડ પર બજરંગવાડીના ખુણા પાસે મફતીયાપરામાં રહેતાં ખતીમાબેન હાસમભાઇ કઇડા (ઉ.૯૦) નામના મુસ્લિમ મહિલાએ એકલાયા જીવન અને બિમારીથી કંટાળી જઇ સળગીને આત્મહત્યા કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

સાંજે ખતીમાબેને અગ્નિસ્નાન કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી અલ્પાબેન ઝાલાએ કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ જીવણભાઇ વીરડાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. હેડકોન્સ. જયંતિભાઇ ગોવાણી અને કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ખતીમાબેન વર્ષોથી એકલા રહેતાં હતાં. અગાઉ પગમાં સડો થઇ જતાં પગ પણ કપાવવા પડ્યા હોઇ પથારીવશ હતાં. અડોશી-પડોશી તેને બે ટાઇમ જમાડીને દેખરેખ રાખતાં હતાં. એકલતા અને બિમારીથી કંટાળીને તેણીએ આ પગલું ભર્યાનું ખુલ્યું હતું. તેના એક નાના ભાઇને પોલીસે જાણ કરી હતી. (૧૪.૬)

(3:50 pm IST)