Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ગુણકારી કૃષ્ણફળના રોપા માત્ર રૂ.૧૦૦માં

કૃષ્ણફળની વેલ થાય :ખૂબ સ્વાદિષ્ટ જયુસ બનેઃ પાચનતંત્રથી કેન્સર સુધીના રોગમાં ઉપયોગીઃ રવિવારે નવરંગ કલબ દ્વારા રાહતદરે જામનગર-રાજકોટમાં કાર્યક્રમ

રાજકોટ નવરંગ નેચર કલબ - રાજકોટ દ્વારા કૃષ્ણફળના રોપા, વાંસની વિવિધ ચીજ વસ્તુઓ, ફુલછોડ તથા પ્યોર મધનું  રાહત દરે વિતરણ અને દેશી મુખવાસ, વિવિધ જાતના લોખંડના વાસણો મળશે, વિવિધ જાતના શાકભાજી ખેડુતો સીધા વેચવા આવશે., વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ, કઠોળ ફણગાવવાના ડબ્બા રૂ.પ૦/, હાથ વણાટના દરેક જાતના પાપડ, વિવિધ જાતના માટીના વાસણો મળશે., લીલીા નાળિયેર કિંમત રૂો૨૦/, પુઠાના ચકલી ઘરઃ ચકલી ઘર રૂ.પ/, પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરાઃ કિંમત રૂ.૧૦/, રાહત દરે લીંબડા સાબુ

મધ (પ્રવાહી સોનું): અહીં માત્ર રૂ.૨૪૦/ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે છે, લીવર-કિડનીને ફાયદો કરે છે, ચરબી ઓછી કરે છે, કબજીયાત દુર થાય છે. મધ એ પૃથ્વી ઉપરનું અમૃત ગણાય છે. મધ અને રોટલી નાસ્તામાં ખાઇ શકાય. પાણી સાથે અને આદુ-લીંબુ સાથે પી શકાય.

ખરખોડી (જીવંતીકા): લુપ્ત થયેલ આ વનસ્પતિ વર્ષો પહેલા દરેક ખેતર વાડીએ હતી લોકો તેના પાંદડા, ફળ અને ફુલ ભરપુર ખાતા તેથી પુષ્કળ પ્રમાણમાં વીટામીન 'એ' મળતું આ વનસ્પતીને ફરીથી ગામે ગામ પહોંચાડવામાં માટેના આ અમારા પ્રયત્નોમાં આપ સહકાર આપશો.

વાંસની વિવિધ વસ્તુઓઃ વાંસની છાબડી, ટોપલી ફુલદાની, કુંજા, હોડી, બાસ્કેટ મળશે આ બધી ચીજ વસ્તુઓ અતી ગરીબ ઝાલાભાઇ ઇશ્વરભાઇ વાંસફોડીયા જાતે બનાવી અહીં વહેંચશે અને આપના ઓર્ડર મુજબ બનાવી પણ આપશે. આવા ગરીબ લોકોને રોજગારી મળતી થાય અને આ કલા જીવંત રહે તેવો હેતુ છે. આ ચીજવસ્તુઓની ખરીદી કરી આપ તેને મદદરૂપ થઇ શકશો.

કૃષ્ણફળના રોપાઃ ખારાસ સિવાયની બધી જ જમીનમાં થાય છે અને વેલાના રૂપમાં ઝાડ ઉપર અને માંડવા ઉપર ચડાવી શકાય છે. એક વેલામાંથી ૧૦૦૦થી ૨૦૦૦ ફળ મળે છે અને આ ફળ પાકી અને ખરી જાય પછી તેનો ઉપયોગ કરાય  છે. આફ્રિકામાં મટુંગા, ઓસ્ટેલીયામાં પેશન ફ્રુટ તરીકે ઓળખાય છે. આ ફળમાં ઉચ્ચ પોષણ મુલ્ય અને ઔષધિય ગુણો ખુબ છે ખાસ કરીને ડેંગ્યુ, ચીકનગુનીયા, સ્વાઇન ફલુ અને કેન્સર સુધીના દર્દીને રાહત પહોંચાડે છે ઉપરાંત પાંચન તંત્રની પ્રક્રિયા સુધારે છે. બજારમાં રપ૦/ રૂપિયામાં મળતો આ રોપો માત્ર ૧૦૦/ રૂપિયામા઼ આપવામાં આવશે વધુમાં વધુ લોકો પોતાને ત્યાં આવા રોપાનું વાવેતર કરી મોટા વેલા થાય પછી તેના ફેલાવા માટે તેના કટીંગ દ્વારા રોપા થઇ શકે.

અગરબતીઓઃ ઘરબેઠા રોજગારીઓનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારીત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. આપ આ અગરબતીઓ લઇ આડકતરી રીતે રોજગારી નિર્માણના યજ્ઞમાં સહકાર આપશો.

ફુલછોડઃ કાશ્મીરી ગુલાબ અને ઇંગ્લીશ ગુલાબ (૧પ-જાતના રંગવાળા) ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ, રાતરાણી, ક્રીસમસ ટ્રી, એકઝોરા, કોટોન આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.

એલોવેરા જેલઃ એલોવેરા જયુસ સપ્તચૂર્ણ રાહત દરે મળશે. લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ, હાથલા થોરના ફળમાંથી બનાવેલ સરબતની બોટલો બજારમાં રૂ.૨૦૦/ ની મળે છે અને અંદર કેમીકલ નાખેલું હોય છે. જયારે આ બોટલમાં કેમીકલ બીલકુલ નાખેલ નથી, પુરેપુરૂ કુદરતી છે અને રૂ.૧૦૦/-માં સરબતની બોટલનું વેચાણ થાય છે.

રાહત દરે વિતરણઃ આમળા પાવડર, પંચામૃત પાવડર, ઠંડાઇ પાવડર (દુધ સાથે લેવું), ફુદીના પાવડર, લેમન હરબલ ટી પાવડર, લીંબુ પાવડર, ગુલાબ પાવડર (દુધ સાથે લેવું), કાચી કેરીનો પાવડર, લીંબુ જીંજર પાવડર આ પાવડરો ૧૦૦% ઓર્ગેનીક છે અને પ્રવાસમાં આ પાવડરો ખુબ જ કામ આવે છે અને તાત્કાલિક સરબત બનાવી શકાય છે અને સ્કૂર્તિ મળે છે અને આ ખેત પેદાશમાં તૈયાર થયેલી વસ્તુ હોય આ વસ્તુઓ વાપરવાથી ખેડુતોને આડકતરી રોજગારી મળતી હોય છે. એક નાનું પેકેટ રૂ.૧૩/-માં મળતું હોય છે અને એક બોક્ષમાં ૧૦ પેકેટ આવતા હોય છે.

સુપઃ પાણી ઉકાળીને તેમાં પાવડર ભેળવવો એક કપમાં અડધી ચમચીના હિસાબે.

૧.પાલક સુપ, કારેલા સુપ, મકાઇ સુપ, ટમેટા સુપઃ ભુખ લગાડે, શકિત વધારે, લોહી શુદ્વ કરે, વિટામીન-સી મળે છે. સુપના પાવડરો ૧ પેકેટના રૂ.૪પ/  લેખે મળશે.

બધા જ સુપો ૧૦૦% નેચરલ છે, દરેક સુપના પાવડરમાં કલર, ફલેવર કે કેમીકલનો ઉપયોગ કરેલ નથી.

હવેથી નવા સ્થળે....

સ્થળઃ કોર્પોરેશનનું મેદાન, ૧પ૦ ફુટ રીંગ રોડ, અમીન માર્ગનો ખુણો, જેડ ડબલ્યુ શો-રૂમની સામે, રાજકોટ.

તા.૩૦-૯-૨૦૧૮ (દર રવિવાર રાજકોટ), સમય સવારે ૯:૦૦ થી ૧:૦૦ કાર્યક્રમ તથા પ્રભુલાલ સંઘરાજ શાહ બાલમંદિર, ડી.સી.સી. હાઇસ્કુલની બાજુમાં, પ્રદર્શન ગ્રાઉન્ડની સામે, જામનગર ખાતે તા.૩૦-૯-૨૦૧૮ રવિવાર, સમય સવારે ૯:૦૦ થી ૧:૦૦ કાર્યક્રમ યોજાશે. વધારે વિગત માટે વી.ડી.બાલા મો.૯૪૨૭૫ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે.(૨૩.૧૧)

(3:50 pm IST)