Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

કાલે અકિલા ચોકથી 'સ્વચ્છતા કુચ'

વી. કેન ગ્રુપ દ્વારા મહાપાલીકાના સહયોગથી આયોજન : સ્વચ્છતાનો સંદેશો પ્રસરાવાશે

રાજકોટ તા. ૨૯ : પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત રાજકોટમાં ચાલી રહેલ વિવિધ ઉત્સવી કાર્યક્રમોના ભાગરૂપે વી.કેન ગ્રુપ દ્વારા મહાનગરપાલીકાના સહયોગથી કિસાનપરા ચોક ખાતે 'સ્વચ્છતા મંચ'નું ત્રિદિવસીય આયોજન થયુ છે.

જેના ભાગરૂપે કાલે તા. ૩૦ ના રવિવારે રાત્રે ૮ વાગ્યે અકિલા ચોકથી કિસાનપરા ચોક સુધી 'સ્વચ્છતા કુચ' યોજવામાં આવેલ છે. સાથોસાથ બાળકો માટે વેશભૂષા સ્પર્ધા પણ રાખવામાં આવી છે. જેમાં ૧૫૦ બાળકો ગાંધીજીની વેશભુષા ધારણ કરી સ્વચ્છતાનો સંદેશો પ્રસરાવશે.

શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા ચાલી રહેલ કાર્યક્રમોના ભાગરૂપે આયોજીત 'સ્વછતા કુચ' માં જાહેર જનતાએ જોડાવા વી. કેન ગ્રુપ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. (૧૬.૫)

(3:36 pm IST)