Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

વડાપ્રધાનના કાર્યક્રમને કારણે કાલે સીટી બસ નં-૭ અને ૨ બંધ

રાજકોટ તા.૨૯: મહાનગરપાલિકા દ્વારા સંચાલીત સીટીબસ સેવામાં આગામી તા.૩૦-૯-૨૦૧૮ના રોજ માનનીય વડાપ્રધાનશ્રીના રાજકોટ ખાતેના કાર્યક્રમને ધ્યાને લઇ સીટી બસ સેવાના રૂટ નં.૧૬ કોઠારીયા ગામથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રૂટ નં-૭ બજરંગવાડી સર્કલથી ભકિતનગર સર્કલ, રૂટ નં.૨૨ શાન્તિનિકેતન એવન્યુથી માર્કેટીંગ યાર્ડ, રૂટ નં-૨ પ્રદ્યુમન પાર્કતી રૈયા ગામના રૂટ ટ્રાફિક સમસ્યાના સર્જાય નહી અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી બંધ રહેશે. આ ઉપરાંત રવિવારના કારણે બસ સન્ડે શેડ્યુલ મુજબ ચાલશે. તથા કાર્યક્રમને ધ્યાને લઇ ટ્રાફીક પોલીસની સુચના અનુસાર સીટી બસના રૂટમાં ફેરફાર કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા સામે રાજપથ લી.દ્વારા અનુરોધ કરાયો છે.(૬.૨૨)

(3:36 pm IST)