Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સ્વાગત છે વડાપ્રધાનશ્રી... રાજકોટને એઇમ્સ આપો : સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની બેઠકમાં સૂર બુલંદ કરાયો

રાજકોટ : વડાપ્રધાનશ્રી રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટને એઇમ્સ મળે તેવો સુર બુલંદ કરવા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા શુક્રવારે અગ્રણી નાગરીકોની એક ચિંતન બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકના પ્રમુખ સ્થાને જાહેર જીવનના મોભી મનસુખભાઇ જોશી ઉપસ્થિત રહેલ. આ તકે પગલા સમિતિની રચના કરાતા સંયોજક તરીકે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના શાખા પ્રમુખ રાજેશભાઇ ગોંડલીયાની વરણી કરાઇ હતી. ટુંક સમયમાં ભાવી કાર્યક્રમો ઘડી કઢાશે. આ તકે પરિષદના સલાહકાર યશવંત જનાણીએ રાજકોટમાં એઇમ્સ માટેની વિગતવાર છણાવટ કરી શૈક્ષણિક સ઼સ્થાઓ અને વેપારી સંગઠનોએ એક મંચ પર આવાવ અપીલ કરી હતી. પ્રદેશ સંયોજક મહેશભાઇ નગદીયાએ બેઠકના ઠરાવનું વાંચન કરી ભાવી કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરી હતી. બેઠકમાં સર્વશ્રી ડો. રમેશભાઇ ભાયાણી, જીજ્ઞેશભાઇ કાલાવડીયા, સુરેશ ચેતા, રાજેન્દ્રસિંહ જાડેજા, હિંમતભાઇ લાબડીયા, મહેશભાઇ મહેતા, શ્રી વીરડા વગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. આભારવિધિ પરિષદના ઉપપ્રમુખ બળવંતભાઇ ચૌહાણે કરી હતી. કાર્યક્રમની વ્યવસ્થા શહેર સંયોજક પ્રકાશભાઇ પરમાર, હીનાબેન અને મનસુખભાઇ કનેરીયાઅ તથા ટીમે સંભાળી હતી. (૧૬.૬)

(3:32 pm IST)